Panch Prakalp
આઝાદી કા અમૃત મહોત્સવ "શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ"યોજનાનું મહામહિમ રાજ્યપાલશ્રી સ્વયં નિરીક્ષણ કરી રહ્યા છે. ત્યારે પંચ પ્રકલ્પ અંતર્ગત યુવાનોનાં સાર્વત્રિક વિકાસ અને સમાજ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાય તે માટે ગુજરાત રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ કાર્ય કરી રહી છે. ત્યારે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા પણ પંચ પ્રકલ્પ અંતર્ગત કોરોના સંક્રમણ અને રસીકરણ અંગે જાગૃતિ માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો તેની વિગતો નીચે મુજબ છે.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ પંચ પ્રકલ્પ અંતર્ગત છાત્રોડા ગામ મુકામે " કોરોના સંક્રમણ અટકાવવા અને રસીકરણ અંગે જાગૃતિ, માર્ગદર્શન અને માસ્ક વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં ચર્ચા સભા અને ઘરે ઘરે જઈને ગ્રામજનોને કોરોના વિશે જાગૃત કરવામાં આવ્યા અને માસ્ક વિતરણ કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓ, નોડલ ઓફિસર પ્રો. વિનોદકુમાર ઝા, સહ નોડલ ઓફિસર ડૉ.વિપુલ જાદવ, ડૉ. વિદુષી બોલા, કાર્યક્રમ સંયોજક પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડૉ. જે.ડી. મુંગરાએ કામગીરી કરેલ હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચ શ્રી કરશનભાઈ લક્ષ્મણભાઈ ઝાલા અને રામભાઇ ઝાલાનો ખૂબ સારો સહકાર મળ્યો હતો.
Report in Sanskrit
गुजरातसर्वकारद्वारा प्राप्तपत्रानुसारम् आजादी के अमृत महोत्सव इत्युपलक्ष्ये पञ्चप्रकल्पयोजनान्तर्गतः कोरोना-जागृति-कार्यक्रमः अद्य २९/०१/२०२२ तमे दिनाङ्के छात्रोडाग्रामे अनुष्ठितः। कार्यक्रमेस्मिन् षट् छात्राः पञ्चप्रकल्पयोजनायाः नोडल-अधिकारी प्रो. विनोद कुमार झामहोदयः, सहायकाधिकारी डाॅ. विपुलजादवमहोदय:, सहायकाधिकारिणी डॉ. विदुषी बोल्लामहोदया, संयोजक: डॉ. जयेश मुंगरामहोदयश्च भागं गृहीतवन्तः। छात्रोडाग्रामे प्रतिगृहं गत्वा तेभ्यः मुखाच्छादनं (Mask) प्रदाय, चर्चासभाम् आयोज्य, करोनाविषाणोः अवरोधाय रसीकरणस्य ( Vaccination) माहात्म्यम्, तस्य अवनत्त्यै च सावधानविषयकं मार्गदर्शनञ्च प्रदत्तवन्तः। अस्मिन् कार्यक्रमे ग्रामस्य मुख्य: (सरपंच) श्रीकरसनभाई झालावर्यः, कार्यकर्त्ता श्री रामाभाई झालावर्यश्च उपस्थितौ आस्ताम्।